Article Index |
---|
અવગણના નહી કરો |
તણાવથી રાહત માટે યુક્તિઓ |
All Pages |
Page 1 of 2
તણાવ અને તંદુરસ્તીતણાવ સાથે સમજોતા કરવા
તણાવ મનની સામાન્ય સ્થિતીને અસર કરે છે. તે મજ્જાતંતુની વ્યવસ્થાને પણ અસર કરે છે, જે આંતરીક વિકારો જેવા કે ઉંચુ લોહીનુ દબાણ, માથુ દુખવુ, આદાશીશી, ભુખ નહી લાગવી, ખોટી બીક, નિન્દ્રા રોગ અને બીજા વધારે. ગાઢ ઉદાસિનતા તણાવનુ એક ગંભીર કારણ છે જે વ્યક્તિને ઉત્તેજક દવા તરફ લઈ જાય છે. તણાવ લાગે છે જ્યારે તમે તમારી ગુમાવેલી નોકરી વિષે વિચાર કરો છો અથવા તમારા બિલ્સના પૈસા ચુકવવા માટે તમારી પાસે પુરતા પૈસા નથી અથવા તમે તમારી માતા માટે ચિંતા કરો છો, જ્યારે તમને ડોકટર કહે છે કે તેમની શસ્ત્રક્રિયા કરવી પડશે. સાચુ કહીએ તો આપણામાંથી ઘણાની ચિંતા સાથે તણાવ સંકળાયેલો છે. જો કોઇ પણ વસ્તુ તમને ચિંતા કરાવતી હોય તો તણાવ છે.
તીવ્ર તણાવ તાત્કાલિક ધમકી માટે એક પ્રતિક્રિયા છે. આ ધમકી કદાચ એક પરિસ્થિતી છે, જે અર્ધજાગ્રત અથવા ખોટી રીતનો અનુભવ છે જે ખતરનાક છે. ઓછા સમય માટે તણાવમાં અવરજવર, ઘોંઘાટ, એકલાપણુ, ચેપ અને ભુખનો સમાવેશ છે. બીજી બાજુ લાંબેથી ચાલતી માંદગી માણસના મન ઉપર વધારે અસર કરે છે. માનસિક દબાણો જેવા કે સબંધીઓમાં સમસ્યાઓ, એકલાપણુ અને નાણાકિય ચિંતા લાંબા સમય માટે માંદગી અથવા લાંબેથી ચાલતો તણાવ લાવે છે.
આપણા શરીર ઉપર તણાવની અસર
મગજ
તણાવ મગજને અસર કરે છે.જ્યારે મગજને તણાવ અસર કરે છે, મગજનો એક ભાગ જેને hypothalamic pituitary adrenal (HPA) ની પદ્ધતી કહેવાય છે તે કેટલાક neurotransmitters છોડે છે જેને catecholamines કહે છે. HPAની પદ્ધતી પ્રાથમિક તણાવના hormones નુ ઉત્પાદન કરવા માટે શરૂ કરે છે.
હદય અને ફેફસા
તણાવને લીધે હદયના ધબકારાનો દર અને લોહીનુ દબાણ વધે છે. આને લીધે ઝડપથી શ્વાસ અને ફેફસા વધારે પ્રાણવાયુ લ્યે છે. લોહીનો પ્રવાહ કદાચ ૩૦૦% થી ૪૦૦% જેટલો વધે છે.સ્નાયુઓની, ફેફસાની અને મગજની માંગણી વધતી જાય છે.
ગળુ
તણાવને લીધે મોઢુ સુકાઈ જાય છે, જેને લીધે બોલવામાં તકલીફ પડે છે.

તણાવ પચવાની શક્તિમાં વિકાર પેદા કરે છે,જેને લીધે પચવાની ક્રિયા બંધ પડી જાય છે અને ભુખ નહી લાગવા આગળ લઈ જાય છે.
શરીરમાં પોષક દ્રવ્યોમાં થતો ફેરફાર.
માનસિક અસર સ્વસ્થ શરીરને બગાડી નાખે છે. સબંધો હંમેશા ધમકી આપે છે અને ત્યાં હંમેશા એક જોખમ રહે છે કે જુનો તણાવ એક ગંભીર સમસ્યામાં વિકસિત થાય છે. આત્મહત્યા, દુર્ઘટનાઓ અને દારૂ સાધારણપણે તણાવને નોતરે છે.
કારણો જે તણાવને ખેચે છે
પરિપક્વ થવુ
જુવાનીના વિશાળ પરિપક્વ થવાના harmones બદલવાને લીધે ગંભીર તણાવ પેદા કરે છે. એક વ્યક્તિના શરીરના આકારમાં વાસ્તવિક રીતે બદલાવ આવે છે, તેના યોનના અવયવો કામ કરવા લાગે છે, જેના harmones મોટી માત્રામાં છુટે છે.
પુર્વ માસિક રક્તસ્ત્રાવનો સમુદાય.(Syndrome).
એક વાર સ્ત્રી પરિપકવ થાય છે ત્યારે તેના શરીરને સ્ત્રીના harmonesની હાજરીમાં સર્વ શ્રેષ્ઠ કામ કરવા માટે રચના કરી હોય છે. સ્ત્રીઓ જેણે પરિપકવતા પાછળ છોડી દીધી છે, તેમના શરીરમાં સ્ત્રીઓના harmones ની ખામી શરીર ઉપર તણાવનુ મુખ્ય કારણ છે. મહિનામાં એક વાર, માસિક રક્તસ્ત્રાવના થોડી જ વાર પહેલા, એક સ્ત્રીના harmonesના સ્તરો બહુ ઝડપથી નીચે જાય છે. ઘણી સ્ત્રીઓમાં ઝડપથી નીચે પડતા harmones વધારે અસ્થાયી તણાવ બનાવવા માટે પૂરતા છે. આ રજોનિવૃતિ વધારે અસ્થાયી તણાવને પૂર્વ માસિક રક્તસ્ત્રાવનો (Syndrome)તરીકે ઓળખવામાં આવે છે.
(પ્રસવોત્તર દેખરેખ) Post–partum.
એક ગર્ભાવસ્થા પછી harmones ના સ્તરમાં નાટકિય બદલાવ આવે છે. એક બાળકના સામાન્ય જન્મ પછી અથવા કસુવાવડ પછી કેટલીક સ્ત્રીઓ કદાચ ગર્ભાવસ્થાના harmonesના નુકશાનને લીધે વધારે પડતા તણાવમાં ફેકાઈ જાય છે.
રજોનિવૃતિ
અહિયા એક સ્ત્રીના જીવનમાં એવો સમય આવે છે જ્યારે harmonesનુ સ્તર નીચે ઉતરી જાય છે. આ રજોનિવૃતિ છે. રજોનિવૃતિ દરમ્યાન harmones નુ ઓછુ થવુ જે ધીમુ અને સ્થિર છે. તે છતા આ રજોનિવૃતિનુ ઘટવુ ઘણી સ્ત્રીઓના શરીર ઉપર સારા એવા તણાવનુ કારણ વધારે પડતો તણાવ છે.
તણાવનુ સંચાલન
નિમ્નલિખિત વ્યુહરચનાની નકલ વાસ્તવમાં તમારા જીવનમાં કોઇ પણ નકારત્મક તણાવની અસરોને ઓછુ કરવામાં મદદ કરે છે. તમે પોતાની ચેતવણીના સંકેતો બાબત સાવધાન રહેશો. આ ચિંતા વધારે પડતા થાકનો અચાનક અનુભવ કરાવશે, બહુ ઉદાસિનતાનુ ભાન કરાવશે, દરેક શરદી અને ઉધરસને પકડીને નીચે ઉતારવાનો અહેસાસ કરાવશે. ઘણીવાર આપણે નકારાત્મક તણાવને લીધે બરોબર રીતે ખોરાક નહી લેવાની જાલમાં ફસાઈ જઈએ છીએ, વધારે ધ્રુમપાન અથવા દારૂ પીવાનુ ચાલુ કરીએ છીએ એમ સમજીને કે આ ટેકો તેને મદદ કરશે.
અહિયા કેટલીક સકારાત્મક રીતો છે જે તણાવને સંભાળે છે
પ્રયત્ન કરો અને સંતુલન ખોરાક જમો. ગુંચવણ ભરેલા carbohydrates (જેવા કે પુરૂ ભોજન, પાઊરોટી, બટેટાની છાલ વગેરે) નહી કે (એક મીઠા બીસ્કીટનુ પડીકુ). આ તમને બદલતા મનની ઉતરચડ ઉપર મદદ કરશે. ઘણા તાજા ફળો અને શાકભાજી ખાવ અને ખાંડ અને મીઠાની માત્રા સૌથી ઓછી કરો. શરદી, ફ્લુ અને બીજી બીમારીઓ જે તમને વારંવાર નીચે લાવે છે તેની સામે લડવા માટે તમારી પ્રતિરક્ષા પ્રણાલીને આધાર આપવા મદદ કરશે. ઘણુ પાણી પીવો, જે તમારા શરીરનુ પાણી જે સુકાઈ ગયુ છે તે ફરીથી લાવવા માટે મદદ કરશે, ફક્ત દારૂ ઓછી માત્રામાં પીવો. caffeineની વપરાશ સૌથી ઓછી રાખવા કોશીશ કરો.
nicotine અથવા બીજી કોઇ સ્વયં નિર્ધારિત દવા તરફ વળો નહી
દરરોજ થોડા સમય માટે આરામ કરવા પોતાને દોષી ન ઠરવો. આપણે બધાયે સમય - સમય ઉપર બંધ રહેવાની જરૂર છે. તમે કાઇક એવુ કરો જે તમારા જીવનમાં આનંદ લાવે. દા.ત. વાચવુ, સંગીત સાંભળવુ, યોગા અથવા ધ્યાન ધરવુ, થોડુ aromatherapy તેલને ઉમેરીને કદાચ ગરમ નાહવાનો આનંદ લેવો. તે કરવા માટે લાંબો સમય નથી લાગતો અથવા એશોઆરામ અથવા સમય વેડફી નાખ્યો એમ સમજવુ. આ જીંદગી જીવવા માટે એક આવશ્યક ભાગ છે. નિશ્ચિત કરો કે વ્યાયામ તમારા જીવનનો એક ભાગ બને. કસરત એવી કરો જે તમને અનુકુળ હોય. કોઇ સંદેહ હોય તો ડોકટરને પુછો.
તમે ઘણીવાર પોતાને "હા" કહો છો જ્યારે તેનો સાચો અર્થ "ના" છે. તમે હંમેશા વસ્તુઓ માટે મોડા પડો છો? જો તમે તમારો સમય બરોબર રીતે આયોજીત કર્યો હોત તો તમે સારૂ કરી શક્યા હોત તે જાણીને તમે નિરાશ થાવ છો? વધારે અડગ રહેતા શીખો અને તમારા સમયને બરોબર રીતે આયોજીત કરો. આપણામાંથી ઘણા બધા બહુ સમય બર્બાદ કરે છે - ઘણીવાર એવા બહાના કરીને કે મેં આ કામ નથી કર્યુ! આ બંને વિષયો ઉપર ઉત્ક્રુષ્ટ અભ્યાસક્રમ અને ચોપડીઓ પણ મળે છે.
એક તણાવ પ્રબંધન પ્રશિક્ષણના અભ્યાસક્રમમાં ભાગ લેવાનો વિચાર કરો. આમાં ભાગ લેવા માટે તમારે તણાવ લેવાની જરૂર નથી. સંપુર્ણ જાણવા માટે તે સૌથી સારૂ છે કે શું કરવુ તેનો નકારાત્મક તણાવનો સામનો કરવા દરમ્યાન તુલના કરવા માટે સારૂ છે! કેટલી વાર જ્યારે આપણે બધાયને મદદ અને બીજા લોકોના ખાનગી આધારની જરૂર છે. તમારે જો મદદ જોતી હોય તો તમે તે માંગવા માટે ઘબરાવ નહી. આ બહુ મદદગાર થઈ શકે છે. જો તમારે એક સ્થાનિક તણાવ ઘારાસભાનો સભ્ય/ઉપચાર કરનાર વિશેષજ્ઞના સંપર્કમાં રહેવુ હોય તો અમે તેમને ત્યા લઈ જઈ શકીયે છીએ.